સુહાગન સ્ત્રીને તેમની બંગડી આપે છે શુભ અને અશુભ ઘટનાઓ ના આગોતરા સંકેત - Tilak News
સુહાગન સ્ત્રીને તેમની બંગડી આપે છે શુભ અને અશુભ ઘટનાઓ ના આગોતરા સંકેત

સુહાગન સ્ત્રીને તેમની બંગડી આપે છે શુભ અને અશુભ ઘટનાઓ ના આગોતરા સંકેત

ભારતીય સંસ્કૃતિમાં બંગડી એ સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે. તેમાં પણ ભારતીય મહિલાઓને બંગડી પહેરવાની પરંપરા ખૂબ જૂની છે. આજના સમયમાં તેમનું મહત્વ ખૂબ જ વધારે છે. દરેક મહિલા જન્મથી લઈને મૃત્યુ સુધી તેમનું મહત્વ ખૂબ જ વધારે છે.

હિન્દુ ધર્મમાં જ્યારે છોકરી નો જન્મ થાય છે. ત્યારે જ તેમને સૌભાગ્યના સ્વરૂપમાં ચાંદી ના કંગન અથવા ચાંદીના બંગડી આપવામાં આવે છે. બંગળી ઘણા પ્રકારની હોય છે. દરેક પ્રકારના પોતાનું મહત્વ અલગ-અલગ હોય છે.

સૌપ્રથમ બંગડી નો સબંધ વિવાહિત સ્ત્રીઓ સાથે જોડવામાં આવે છે. સ્ત્રી અને શૃંગાર ની વસ્તુ કે કોઈ પણ આભૂષણ તરીકે નહીં પરંતુ તેને પહેરવા પાછળ ઘણા બધા કારણો હોય છે. લગ્ન પછી સ્ત્રીઓ સોનાના કંગન કે સોનાની બંગડી, કાચની બંગડી પહેરતી હોય છે.

તેમની પાછળ પણ ઘણા બધા કારણો હોય છે. તેમની પાછળ એક એવી માન્યતા છે કે કાચની બંગડી પહેરવાથી પતી તેમ જ પુત્ર નું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. જો કોઈ પણ વ્યક્તિ સ્ત્રી કાચની બંગડી પહેરે છે. તો તેમના પરિવારનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે.

જો આપણે તેના વૈજ્ઞાનિક કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરીએ તો બંગડી પહેરવાથી સ્ત્રીઓના આસપાસના વાતાવરણ, સ્વાસ્થ્ય ઉપર વધારે પ્રમાણમાં પ્રભાવ પડે છે. બંગડી પહેરવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આજુબાજુ રહેલી નકારાત્મક ઉર્જાને સ્ત્રીના શરીર ઉપર કોઈપણ પ્રકારની અસર થતી નથી.

બંગડી પહેરવાથી તે તેનો અવાજ આવવાથી સ્ત્રી ને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા, ખરાબ ભૂત પ્રેત, નો સામનો કરવો પડતો નથી. તમે બંગડી પહેરવાના ફાયદા વિશે તો જાણકારી પ્રાપ્ત કરી લીધી હશે. પરંતુ તેમને પહેરવાથી અલગ-અલગ પ્રકારના પ્રભાવ પડે છે. તેમના વિશે જાણકારી પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે.

બંગળી વિવાહિત સ્ત્રીઓને તેમના જીવનમાં આવનારા ખરાબ કે સારા સમયના સંકેત આપે છે.  તેમનો તેમના જીવન પર કેવો પ્રભાવ પડે છે. તે દરેક વસ્તુનો બંગડીનું ની પરિસ્થિતિ દ્વારા સંકેત પ્રાપ્ત થાય જીવનમાં આવનારા શુભ અને અશુભ પ્રસંગો ની જાણકારી બંગડી ની પરિસ્થિતિ પ્રમાણે મેળવી શકાય છે.

જો કોઈ પણ સ્ત્રીની બંગડી તૂટી જાય છે. કે તેમાં તિરાડ પડી જાય છે. તો એવી માન્યતા છે. કે તે સ્ત્રીને કે તેમના પરિવારને કંઈક ભવિષ્યમાં અશુભ સંકેત પ્રાપ્ત થશે. બંગડી માં તિરાડ પડવી કે તૂટી જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

જો કોઈ પણ સ્ત્રીને બંગળી માં તિરાડ પડે છે. તો તેમને બંગડી બીજી પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તિરાડ પડેલી બંગડી મહિલાઓ પહેરે છે. તો તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે.

જો વ્યક્તિને સવાર સવારમાં બંગડી નો સાંભળવા મળે તો તેમના પતિ તેમ જ પરિવારના તમામ સભ્યો નું મન અત્યંત પ્રસન્ન થાય છે. તેમ જ સ્ત્રીઓ જ્યારે કામ કરતી હોય ત્યારે કામ કરવાના અવાજ સાથે બંગડી નો અવાજ પણ આવતો હોય છે.

બંગડીના અવાજ આવતા ની સાથે કામ કરવામાં એકાગ્રતા વધે છે. તથા કામ કરવામાં શુભ સંકેત પ્રાપ્ત થાય છે. બંગડી ના અવાજ તેમજ તેની પરિસ્થિતિ દ્વારા વિવાહિત સ્ત્રી અને તેમના જીવનમાં આવનારા સારા અને ખરાબ સમય વિશે જાણકારી પ્રાપ્ત થાય છે.

એટલા માટે સૌ કોઈ પણ સ્ત્રીને બંગડી તૂટી ગઈ હોય તો તેમને તરત જ બદલાવી નાખવી અને બીજી નવી બંગડી પહેરી લેવી જોઈએ.