શું તમે દરરોજ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલું ભોજન ખાવ છો તો થઇ જજો સાવધાન - Tilak News
શું તમે દરરોજ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલું ભોજન ખાવ છો તો થઇ જજો સાવધાન

શું તમે દરરોજ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલું ભોજન ખાવ છો તો થઇ જજો સાવધાન

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ એક સુખી અને સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે અને આ માટે જ દરેક વ્યક્તિ પોતાના ભોજનને સુરક્ષિત રાખવા ઈચ્છે છે. ભોજનને સુરક્ષિત અને કીટાણું રહિત રાખવા માટે લોકો ભોજનને પેકિંગ કરવા માટે એલ્યુમીનીયમ ફોઈલનો ઉપયોગ કરે છે.

આ એલ્યુમિનિયમ ફોઈલમા ભોજન પેક કરવુ એ એક ટ્રેન્ડ બની ચુક્યો છે. હાલ, દરેક વ્યક્તિ આ પેપરમા લપેટીનેજ ભોજન લઇ જવાનુ પસંદ કરે છે. શાળાએ જતા બાળકોના ટીફીનમા પણ ભોજન રાખવા માટે આ પેપરનો ઉપયોગ કરવામા આવે છે કારણકે, આ પેપરમા ભોજન રાખવાથી તે દેખાવમા પણ સારુ લાગે છે અને સુરક્ષિત પણ રહે છે.

પહેલાના સમયમા લોકો સાધારણ કાગળમા ભોજનને લપેટી લેતા હતા અને આ ભોજનનો ખાવા માટે ઉપયોગ કરતા હતા પરંતુ, સમયની સાથે પરિવર્તન આવ્યુ અને ભોજનને વધુ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે એલ્યુમીનીયમ ફોઈલ બજારમા આવ્યુ. લોકોની એવી માન્યતા છે કે, આ એલ્યુંમીન્યમ ફોઈલમા ભોજન સુરક્ષિત રહે છે પરંતુ, આ પેપર સુરક્ષાની જગ્યાએ તમને અનેકવિધ બીમારીઓ નો શિકાર બનાવે છે.

આ પેપરમા રાખવામા આવેલ ભોજન નરમ અને મુલાયમ રહે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ પેપરનો વપરાશ તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ પેપરમા રાખવામા આવેલુ ભોજન આપણા માટે ઝેર સમાન સાબિત થાય છે. જ્યારે પણ તમે આ એલ્યુમીનીયમ પેપરમા ભોજન પેક કરો છો ત્યારે તેમાંથી અમુક એવા તત્વો બહાર નીકળીને ભોજનમા ભળી જાય છે, જેઆપણામાટે હાનીકારક સાબિત થાય છે.

તો ચાલો આજે આ લેખમા એલ્યુમીનીયમના વપરાશથી આપણા સ્વાસ્થ્યને પહોંચતી હાની વિશે માહિતી મેળવીએ.જો તમે એલ્યુમીનીયમમા પેક કરેલ ભોજનનુ સેવન કરતા હોવ અને તે દરમિયાન ભૂલથી પણ આ એલ્યુમીનીયમના પેપરનો ટુકડો તમારા શરીરમા ચાલ્યો જાય તો તમે કેન્સર જેવી જીવલેણ સમસ્યાથી પીડાઈ શકો.

જો તમે ગરમ ભોજનને આ એલ્યુમીનીયમમા લપેટો તો તે પીગળવા લાગે છે અને એલ્યુમીનીયમમા રહેલા અમુક તત્વો આ ભોજનમા મિક્સ થઇ જાય છે, જેના કારણેતમે અલ્ઝાઈમર જેવી સમસ્યાના પણ શિકાર બની શકો છો. આ ઉપરાંત એલ્યુમીનીયમ પેપરમા ક્યારેય પણ ખાટા ફળ કે મસાલેદાર ચીજવસ્તુઓ પેક ના કરવી.

જો તમે આ વસ્તુઓને એલ્યુમિનિયમ પેપરમા પેક કરો છો તો તેમા હાનિકારક બેક્ટેરિયા સમાવિષ્ટ થઇ જાય છે અને આ ચીજવસ્તુઓનુ સેવન કરવાથી તે બેક્ટેરિયા તમારા શરીરમા પણ પ્રવેશે છે. ક્યારેય પણ બચેલા ભોજનને એલ્યુમીનીયમ પેપરમા પેક કરીને ફ્રીજમા રાખવા નહિ. જોતમે આમ કરો છો અને આ ભોજનનુ સેવન કરો છો તો તમારુ પાચનતંત્ર બગડી જાય છે અને તમે પેટ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો.

આ ઉપરાંત જ્યારે પણ તમે માઈક્રોવેવમા ભોજન બનાવો છો ત્યારે ભૂલીને પણ આ એલ્યુમિનિયમ પેપરનો ઉપયોગ ના કરવો. જો તમે માઈક્રોવેવમા ભોજન બનાવવા માટે ઉપયોગ કરો તો ભોજન બેસ્વાદ બની જાય છે અને ભોજનમા રહેલા પોષકતત્વો પણ નાશ પામી જાય છે.

આ સિવાય ઘરે ભોજન બનાવવા માટે પણ એલ્યુમિનયમના વાસણનો ઉપયોગ ના કરવો. જો તમે ભોજન બનાવવા માટે આ વાસણનો ઉપયોગ કરો અને આ વાસણમા બનાવેલા ભોજનનુ સેવન કરો તો તમે કીડની અને હાડકા સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો છો.