કમરનો ઘેરો વધારો ઘણા રોગોને આમંત્રણ આપે છે. ભારત વિશ્વનો પાંચમો દેશ છે જ્યાં 100 મિલિયનથી વધુ લોકો મેદસ્વીપણાથી પીડાય છે. જાડાપણું હોર્મોનલ વિક્ષેપનું કારણ બને છે. શરીરમાં એસ્ટ્રોજન, કોર્ટિસોલ અને ઇન્સ્યુલિન જેવા હોર્મોન્સનું સ્તર. ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગો શરૂ થાય છે.
આવી પરિસ્થિતિમાં, યોગ્ય સમયે સ્થૂળતાને કાબૂમાં લેવી જરૂરી છે. આજે અમે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ જે મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરશે. ચાલો તેમના વિશે જાણીએ. આયુર્વેદિક ડોક્ટર અને ૧૦ કરતા વધુ વિષયો પર પુસ્તકો લખી ચૂકેલા એક ડોક્ટર ના સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ મુજબ, તમે ૭ દિવસ મા ૩ થી 10 કિલો સુધી વજન ઘટાડી શકો છો. તેના માટે તમારે 3 દિવસ મગનુ શુપ અને બાકીના ૪ દિવસ શુપની સાથે શાકભાજી પણ ખાવાના રહેશે.
ખાસ ધ્યાન રાખજો કે મગ આખા હોવા જોઈએ. સૌથી પહેલા તમારે સવારે ઉઠીને ૨ ગ્લાસ નવશેકુ ગરમ પાણી પીવાનુ છે. આ પાણી બેસીને એક-એક ચૂસકી લયને પીવો. તેનાથી શરીરના ટોક્સિન નીકળી જાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે. તેના પછી તમારે થોડુ મેડિટેશન અને યોગ પણ કરવાના રહેશે. જો આ કરવા ન ઈચ્છતા હોય તો ઓછામા ઓછુ ૧૫ થી ૩૦ મિનિટ ચાલવાનું રાખો. તેનાથી ચરબી બળવામા મદદ મળશે.
ડાયટ પ્લાન મુજબ પહેલા ૩ દિવસ તમારે આખા મગનુ સૂપ પીવાનુ છે. આ સૂપ તમારે દિવસમા ૬ વખત પીવાનુ છે. આ સૂપ માટે મગને બાફીને તેમા આદુ, મીઠુ, વરિયાળી, કોથમીર, લસણ, હિંગ, જીરુ અને લીલા મરચા નાખીને આ સૂપ તૈયાર કરો. આ વસ્તુઓને મગ બાફતી વખતે જ નાખી દો. તેમા વઘાર કરવાનો નથી.
આખા દિવસ માટે સૂપ એક વખતમા જ તૈયાર કરી લો. પછી આખો દિવસ થોડુ-થોડુ પિતા જાવ. એક વખતમા એક વાટકો સૂપ પીવાનુ રહેશે.પહેલા દિવસે થોડુ નબળાઈ જેવુ મહેસુસ થઈ શકે છે. જો આવુ થાય તો તમે સૂપની ક્વોંટિટી અને ફ્રિકવન્સી મા વધારો કરી શકો છો. જો તમને ચા પીવાની ટેવ હોય તો દિવસમા ૨ વખત તમે ચા પણ પી શકો છો.
આખા દિવસમા તમારે ૮ થી ૧૦ ગ્લાસ પાણી ફરજીયાત પીવાનુ છે, જેથી ટોક્સિન યોગ્ય રીતે બહાર નીકળી શકે. લીંબુ, ટામેટા અને દહીં જેવી ખાટી વસ્તુઓનો ઉપયોગ ના કરવો. તેલ અને ઘી નો ઉપયોગ પણ ના કરવો.
છેલ્લા ૪ દિવસ તમારે મગના સૂપની સાથે સાથે લીલા શાકભાજીનુ પણ સેવન કરવાનુ છે. લીલા શાકભાજી સલાડ અથવા બાફેલા રૂપમા તમે ખાઇ શકો છો. તેમા પણ વઘાર કરવાનો નથી. લીલા શાકભાજી મા તમે કાકડી, ગાજર, બીટ, મૂળા, દૂધી, તૂરિયા, ફ્લાવર, ડુંગળી ખાઈ શકો છો.સૂપ અને શાકભાજીને તમે તમારા સમય મુજબ આખો દિવસ ઉપયોગ કરી શકો છો.
જેમ કે, નાસ્તામા બાફેલા શાકભાજી ખાવ. પછી બપોરે જમવામા સૂપ અને શાકભાજી લેવાના. તેના પછી સાંજના નાસ્તા મા ફરીથી સૂપ અને સાંજે જમવામા સૂપ અને શાકભાજી લેવાના. વચ્ચે વચ્ચે પણ તમે સૂપ અને શાકભાજી ખાઇ શકો છો. સૂપને દિવસમા ૬ વખત તો ફરજીયાત પીવાનુ જ છે. ભૂખ્યા રહેવાનુ નથી અને ઓછા પ્રમાણમા સૂપ પણ પીવાનુ નથી.