હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં સોલાર પીવી મોડ્યુલ અને સફેદ એલ ઈ ડી માટેની યોજનાને મંજૂરી આપવામાં આવે છે.
તમે એ વસ્તુની જાણકારી આપી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા દેશના મેન્યુફેક્ચરિંગ અને પ્રોત્સાહન આપવા માટે પી એલ ઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેમની મદદથી કંપનીઓને ભારતમાં તેમને મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે અને નિકાસ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવશે.
તે ઉપરાંત વિદેશી કંપનીઓને નાણાકીય સહાય પણ આપવામાં આવશે. તે ઉપરાંત દરરોજ ઉપયોગમાં લેવાતા ઉપકરનો ને સફેદ માલ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેમાં ફ્રીઝ, વોશિંગ મશીન, હેર કન્ડિશનર અને વિદ્યુત ઉપકરણો સામેલ છે.
કેબિનેટની બેઠક પછી વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશમાં સૌર ઉર્જાના ઉપકરણો અને તેના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પી એલ ઈ યોજના હેઠળ આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન દ્વારા ૪૫૦૦ કરોડ રૂપિયાનું મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પ્રોત્સાહન રૂપે ગ્રાન્ટ આપવામાં આવશે. પિયુષ ગોહેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ખૂબ જ મોટી રોજગારી ઉત્પન્ન થશે.
તે ઉપરાંત દિવસેને દિવસે વધતા વીજળી ના ભાવ પણ કંટ્રોલમાં રહેશે ત્યારે આ અંદાજે ૩૨ હજાર લોકોને નવા રોજગાર આપી શકે છે. અને પરોક્ષ રીતે લગભગ એક લાખ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. કે કેન્દ્ર સરકારે વ્હાઈટ ગુડ માટે સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે.
મોદી સરકારે વાઇટ ગુડ જેવા કે એસી, ફ્રીજ, રેફરીજરેટર, વોશિંગ મશીન ના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટને પ્રોત્સાહન આપવા માટે પીએલ ઈ યોજના બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રી પિયુષ ગોયલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
એક સમય એવો હતો કે તે ભારતમાં એરકન્ડિશનર બનાવવા માગતા હતા. પરંતુ આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને હવે સ્થિતિ એવી છે કે ભારતમાં આવતા તમામ પ્રકારના એરકન્ડિશનર વિદેશથી આવે છે. એટલા માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજના બનાવવામાં આવી છે.
તેને મળતા તમામ પ્રકારના એરકન્ડિશનર ભારતમાં બનાવવામાં આવશે. એટલે કે મેડ ઇન ઇન્ડિયા પીએલઈ યોજના હેઠળ ભારતમાં એરકન્ડિશનર બનાવવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી હતી તેમણે એવું જણાવ્યું હતું કે આ યોજનાથી તેમની દેશની સમૃદ્ધિમાં વધારો થશે
દિવસે ને દિવસે એરકન્ડીશન ની માંગ પણ વધી રહ્યું છે. તેમનો કમ્પાઉન્ડ વાર્ષિક વિકાસ દર ભારતમાં ૨૦થી ૩૦ ટકા છે. હાલમાં સરકારે રેફ્રિજરેશન વાળા એરકન્ડીશન ની આયાત અંગેની નીતિ માં પરિવર્તન કર્યું છે. તે અંતર્ગત તેમને મુક્ત કેટેગરીમાંથી દૂર કરી અને પ્રતિબંધિત કેટેગરીમાં મુકી દેવામાં આવી છે.
આનાથી વિન્ડો અને સ્પ્લીટ એસી અન્ય તમામ પ્રકારના એરકન્ડીશન ની આયાત પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. અને ભારતમાં બનતા એરકન્ડિશનર નો ઉપયોગ કરવા માટે દરેક વ્યક્તિને પ્રોત્સાહન આપવામાં આવે તેટલા માટે મોદી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય દરેક ભારતીય લોકોના હિતમાં છે. તેવું તેમને જણાવવામાં આવ્યું છે. પહેલાં આ પરિસ્થિતિમાં ભારતીય કોર્પોરેટરો દ્વારા બહારથી આયાત કરવામાં આવતા હતા. સોલાર પીવી એરકન્ડીશન અને વાઇટ ગુડ ને બહારથી આયાત કરી અને તેમના ઉપર ટેક્સ લગાવવામાં આવતો હતો
તેના કારણે તેમના ખૂબ જ વધારે કિંમતમાં વધારો થઈ જતો હતો. આજકાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનેક પ્રકારના આવા પ્રજાને ઉપયોગી નિર્ણય લઇ અને પ્રજા બોજ હલકો કરવાનો તેમનો નિર્ણય અયોગ્ય સાબિત થશે કે નહીં તે હવે પ્રજાને જોવાનું છે.