હવે બાબા રામદેવ રિયાલિટી શોમાં હાથ અજમાવશે - Tilak News
હવે બાબા રામદેવ રિયાલિટી શોમાં હાથ અજમાવશે

હવે બાબા રામદેવ રિયાલિટી શોમાં હાથ અજમાવશે

ઝી ટીવી ટૂંક સમયમાં ટેલિવિઝન જગતમાં એક અનોખો ભક્તિ ગીતો રિયાલિટી શો ‘સ્વર્ણ સ્વર ભારત’ લઈને આવી રહ્યું છે. મેકર્સનો દાવો છે કે આ શો દર્શકો માટે ભારતીય મૂલ્યો લાવશે. દરેક વ્યક્તિને આ શોમાં કેટલીક રસપ્રદ પરંતુ પોતાની લાગતી વાર્તાઓ જોવા મળશે. ‘સ્વર્ણ સ્વર ભારત’ દ્વારા ઝી ટીવી દર્શકોને તેમના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ વખતે નિર્માતાઓ દ્વારા ભક્તિમય સંગીત દ્વારા દેશની જનતાના હૃદય સુધી પહોંચવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફેન્ટમ પિક્ચર્સ અને કૈલાસા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ‘સ્વર્ણ સ્વર ભારત’ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમદા પહેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ – ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક યોગદાન છે.

આ ઇવેન્ટ વિશ્વભરમાં આપણી સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી કરશે. જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસ, પ્રખ્યાત ગાયક પદ્મશ્રી કૈલાશ ખેર અને પદ્મશ્રી સુરેશ વાડેકર આ શોમાં જજ તરીકે જોવા મળશે. આ શોના હોસ્ટ તરીકે લોકપ્રિય અભિનેતા રવિ કિશન જોવા મળશે. જ્યારે આ શોએ તેના લોન્ચિંગ પહેલા જ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે.

ત્યારે તેના શરૂઆતના એપિસોડમાંના એકમાં, સ્વામી રામદેવ વિશેષ અતિથિ હાજરી આપશે અને શો ભવ્ય બનવા જઈ રહ્યો છે. તે આ શોમાં આવશે અને આગામી વર્ષોમાં આપણો દેશ કેવી રીતે વધુ શક્તિશાળી બનશે તે વિગતવાર જણાવશે.