ગોળ ની અંદર આયર્નની માત્ર સૌથી વધુ જોવા મળે છે. ગોળ ની અંદર હિમોગ્લોબીન વધારવા ની ક્ષમતા પણ રહેલી હોય છે. તેથી ગોળનો સેવન નિયમિત પણે આપણા આહારમાં લેવું જોઈએ. અનેક બીમારીઓથી પણ ગોળ આપણને બચાવવામાં મદદ કરે છે. જો ગોળને તમે દૂધ સાથે રહ્યો તો તમને વધારે ફાયદો જોવા મળે છે.
ગોળ અને દૂધ માં ઘણા મિનરલ્સ હોય છે. જે શરીરને હેલ્ધી રાખે છે. તથા માંસપેશીઓ અને સાંધાની સમસ્યાઓમાં ફાયદો કરે છે. દૂધમાં વધુ પ્રમાણમાં વિટામીન એ, બી, ડી સિવાય કેલ્શિયમ, પ્રોટીન, લેક્ટિક એસિડ હોય છે. તથા ગોળમાં સુક્રોઝ ગ્લુકોઝ ખનિજ તત્વો રહેલા હોય છે. જે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને રાખે છે. તથા ખાવાનું જલદી પચી જાય છે.
પેટની અંદર ગેસ થતો નથી તથા ઠંડીની ઋતુમાં પેટની સમસ્યાઓ માં ગોળ અને દૂધ ફાયદેમંદ રહે છે. આથી રોજ રાત્રે સૂતા પહેલાં નવશેકા દૂધની અંદર ગોળ નાખવું. ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે તથા કફને બહાર કાઢવા માટે નિયમિત પણે દૂધ અને ગોળ પીવાથી તમને ફાયદો થાય છે. તથા રોજ દૂધ અને ગોળનું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવામાં પણ ફાયદો થાય છે.
કારણ કે દૂધમાં રહેલું વિટામિન ડી તથા કેલ્શિયમ અને ગોળ માં રહેલો આયરન યોજના સાંધાને વધારે મજબૂત બનાવે છે. તથા ગોળની સાથે એક ઈંચ આદુનો ટુકડો લેવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો જોવા મળે છે. શરીરમાં રહેલા લોહીને શુદ્ધ કરે છે. તથા હિમોગ્લોબિન પણ વધારે છે. આદુ અને દૂધ અને ગોળ નું સાથે સેવન કરવામાં આવે તો ચામડી ની અનેક સમસ્યાઓમાંથી પણ રાહત થાય છે.
સ્કિન માં ગ્લો આવે છે. જે કોઈ વ્યક્તિઓને મોઢા પર દાજ પડી હોય તે દાજ પણ દૂર થાય છે. કોઈ વ્યક્તિઓને હાડકા નબળા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત પણે દૂધ અને ગોળનું સેવન કરવું જોઈએ. તમારી સ્કિનને સ્વચ્છ રાખવા માટે પણ તમારે નિયમિત પણે ગોળનું સેવન કરવું.
આપણા શરીરમાં રહેલા ઝેરી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. બપોરે જમ્યા બાદ જે સેવન કરવામાં આવે તો તમારી પાચનશક્તિ વધારે મજબૂત બને છે. અસ્થમા તથા શ્વાસના દર્દીઓ માટે ગોળ ખૂબ જ ફાયદેમંદ છે. જે કોઈ વ્યક્તિઓને કાનમાં દુખાવો રહેતો હોય તેવા લોકોએ ગોળનું સેવન કરવું જોઈએ.
જે કોઈ વ્યક્તિ ની યાદશક્તિ ઓછી હોય તેવા લોકોએ નિયમિત પણે ગોળ ખાવો જોઈએ. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેવા લોકોએ પણ ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કરવો જોઈએ. જે મહિલાઓને માસિક ધર્મમાં સમસ્યા થતી હોય તેવી મહિલાઓ એ પણ ગોળનો ઉપયોગ કરવો જોઈએ. તે દિવસોમાં ગોળ ખાવાથી તેમની બધી જ સમસ્યાઓ દૂર થશે અને શરીરમાં રહેલી કમજોરી પણ ઘટશે.
માટે મહિલાઓએ દૂધ અને ગોળનું સેવન કરવું જોઈએ. શરદી અને ઉધરસ માં પણ દૂધ અને ગોળનું સેવન કરવામાં આવે ગળા મા થતો દુખાવો દૂર થશે અને શરદી ખાંસીમાં પણ રાહત થશે. જે કોઈ વ્યક્તિ વધારે પ્રદૂષણવાળા વિસ્તારમાં રહેતા હોય છે. તેવા લોકોએ નિયમિત પણે ગોળનું સેવન કરવું જોઈએ. કારણ કે આપણેને પ્રદૂષણથી બચાવે છે. અને શરીરમાં રહેલી કમજોરીઓ પણ દૂર કરે છે.
આપણા શરીરને મજબૂત બનાવે છે. જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. માટે દૂધ સાથે ગોળ લેવાથી આપણા શહેરમાં ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે.