હેલ્થ

ચામડી અને પેટના રોગોને જડમૂળથી દૂર કરવા માટે અપનાવો આ સંજીવની સમાન ઔષધી

Published by
મેઘના

ચણોઠી એક રતી વેલ જાતિની વનસ્પતિ છે. ચણોઠી પાકી જાય ત્યારબાદ તેની વેલ સુકાય જાય છે. ચણોઠી ના ફૂલ, શાકભાજીમાં રહેલી ચોરી જેવા દેખાય છે. ચણોઠી ની સિંગ નો આકાર ખુબ જ નાનો હોય છે. તો પણ  ચણોઠી ના બીજ ના બે અલગ અલગ રંગમાં જોવા મળે છે.સફેદ ચણોઠી માં સફેદ રંગનાં બીજ તથા લાલ ચણોઠી માં લાલ અને કાળા રંગનાં બીજ જોવા મળે છે.

ચણોઠીના બીજા પણ ઘણા નામ છે. ચણોઠી ને સંસ્કૃતમાં ઉચ્ચતષ્ણલા કહેવામાં આવે છે. તથા દેશી ગુજરાતી ભાષામાં ચણોઠી ને ધોળી ચણોઠી અને રાતી ચણોઠડી કહેવાય છે. ચોમાસામાં ચણોઠીની વેલ વરસાદનું પાણી પીવાને લીધે ઝડપથી વધવા લાગે છે. ચણોઠી દેખાવમાં આમલી જેવી દેખાય છે.

તેના પાન પણ મીઠા મધુરા હોય છે. જો કોઈ વ્યક્તિઓને ચાંદી પડી હોય મોમાં તો ચણોઠી ના પાન ચાવે તો ચાંદીમાં જલ્દીથી રાહત મળે છે. ચણોઠી ને શુદ્ધ કરવા માટે ૩ કલાક દૂધમાં ઉકાણી ઉપરની છાલ દૂર કરી તથા તડકામાં સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને વાપરવું.

ચણોઠીના મૂળ અને પાન અને ફળને ઔષધીમાં વપરાય છે. ચણોઠીના અશુભ ફળનું સેવન જો થઈ ગયું હોય તો ઊલટી ઉબકા થવાની સંભાવના છે. સફેદ અને લાલ એમ બે પ્રકારની ચણોઠી વીર્યવર્ધક, બળવર્ધક, તાવ, પીઠ, શ્વાસ આંખના રોગ, પેટના રોગ વગેરે રોગોને જડમૂળથી દૂર કરનારી તથા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ચણોઠી અત્યંત મધુર વાતનાશક રુધિર વિકાસશક છે. મોટાભાગની મળી આવતી ચણોઠીનો રંગ અડધો લાલ અને કાળો હોય છે. જેને એક પ્રકારનું ઝેર માનવામાં આવે છે. ચણોઠીના મૂળિયાને ઘસીને માથા ઉપર લેપ લગાવવાથી માથાના દુખાવામાં આધાશીશીમાં કે કોઈને આંખે અંધારા આવતા હોય કે ચક્કર આવતા હોય તેવી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

જો કોઈ વ્યક્તિનો અવાજ બેસી ગયો હોય અને ઉધરસ આવતી હોય તો સફેદ ચણોઠી ના પાન ને ચાવવાથી આ રોગમાંથી મુક્તિ મળે છે. ચણોઠી ખરતા વાળ અને પુરુષોમાં જ ટાલની સમસ્યા હોય તો તેમાંથી પણ છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. સફેદ ચણોઠી ના ચૂર્ણને પકવીને એમાં ભાંગરો અને તલનું તેલ  મિક્સ કરવું આ તેલ મિક્સ કરીને માથા પર લગાવો.

જો કોઈને સફેદ દાગ હોય તો ચણોઠી ના ફોતરા ઉતારીને બારીક ચૂર્ણ કરીને તેને ડાઘ પર લગાડવું. તેથી તેમાં પણ રાહત મળશે.  લાલ ચણોઠીના પાંદડાના રસમાં જીરું અને સાકર મેળવીને નિયમિત સવારે તથા સાંજે લેવાથી શરીરની અંદર રહેલી ગરમી દૂર થાય છે.

ચણોઠીના મૂડને પાણીમાં ડૂબાડીને ટચ કરીને નાકમાં ટીપા ની માફક નાખવામાં આવે તો માઈગ્રેનના દર્દીને ફાયદો જોવા મળે છે. ચણોઠી ના પાન ને વાટીને શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા વાગ્યો હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે.ચણોઠી ના પાન નો નિયમિત રીતે ચાવી અને તેનો રસ પીવાથી જો કોઈ પણ વ્યક્તિના મોઢામાં ચાંદા પડ્યા હોય તો તે ચાંદામાં ઝડપથી રાહત થાય છે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ચામડીને લગતા વિકાર હોય તો તે વ્યક્તિ માટે ચણોઠી એક રામબાણ ઈલાજ સમાન સાબિત થાય છે. તે ઉપરાંત પેટને લગતી કોઈપણ તકલીફ હોય ગૅસ, ઍસિડિટી, કબજિયાત કે પિત્તના રોગો હોય તો તે વ્યક્તિએ ચણોઠી ને શેકી અને તેનું ચૂર્ણ બનાવી અને નિયમિત રીતે સવારે અને સાંજે તેનું સેવન કરવાથી પિત્ત તેમજ ચામડીને લગતા રોગોમાં ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત ચામડીનાં કોઈપણ પ્રકારના સફેદ, કાળા દાગ કે કોઢ ના ડાઘ હોય તો ચા ચણોઠી નો પાવડર નો લેપ લગાવવાથી આ ડાઘા દૂર થશે.

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago