જૂનાગઢના PSIને નડ્યો અકસ્માત, અમદાવાદમાં ટ્રેનિંગ લઈને પરત ફરી રહેલા PSI નું મોત - Tilak News
જૂનાગઢના PSIને નડ્યો અકસ્માત, અમદાવાદમાં ટ્રેનિંગ લઈને પરત ફરી રહેલા PSI નું મોત

જૂનાગઢના PSIને નડ્યો અકસ્માત, અમદાવાદમાં ટ્રેનિંગ લઈને પરત ફરી રહેલા PSI નું મોત

અકસ્માતની ઘટનામાં વધુ એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો છે. આ વખેત જુનાગઢના એ ડિવિઝનના PSI એ.કે. પરમારનું અકસ્માતમાં નિધન થયું છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત માટે કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ બાદ પોલીસ આ મામલે પગલા ભરશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પીએસઆઈ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો છે.

જુનાગઢના પીએસઆઈ એ.કે. પરમાર અમદાવાદથી સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનીંગ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને સુરેન્દ્રનગરના સાયલા નજીક અકસ્માત નડ્યો હતો. જુનાગઢ એ ડિવિઝનના પીએસઆઈની કાર પલટી ખાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તેઓ એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે તેમનો જીવ બચાવી શકાયો નહિ.

પીએસઆઈ પાછલા ત્રણ દિવસથી અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા. ત્યારે સાયલા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.આ અકસ્માત માટે કોણ જવાબદાર છે તે મામલે પોલીસ પગલા ભરશે.

PSI પરમારના મોતની ખબર મળતા પોલીસ બેડામાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે કેટલાય સવાલો પેદા થઇ રહ્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની તપાસ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. મહત્વનું છે કે, તેમની સાથે ટ્રેનિંગમાં હતા તે પોલીસકર્મીઓને પણ આ સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે.