અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હવે ઓર્મિક્રોન ના ભરડા માં - Tilak News
અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હવે ઓર્મિક્રોન  ના ભરડા માં

અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હવે ઓર્મિક્રોન ના ભરડા માં

ભારતમાં અને ગુજરાતમાં પણ કોરોનાની સાથે ઓમિક્રોનની દહેશત વધી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ સેમ્પલ માટે આવ્યા છે. વિદેશથી આવેલા સાતેય દર્દીઓના RTPCR ટેસ્ટનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર એલર્ટ થયું છે. સાતેય દર્દીઓને રીપોર્ટ પોઝિટીવ આવતાં 1200 બેડની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં આવેલા દર્દીઓમાં દુબઈથી 5, રશિયાથી એક અને સાઉથ આફ્રિકાથી એક દર્દીનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા સાતેય દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગના આગળના ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યાં છે. હાલમાં તમામ દર્દીઓ એકદમ સ્વસ્થ છે.

રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.65 ટકા થય ગયો છે. બીજી તરફ ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ સામે આવ્યા છે. 25 ડિસેમ્બરે સૌથી વધુ 3 નવા કેસ ખેડા જિલ્લામાં, એ ઉપરાંત અમદાવાદ શહેરમાં 2 અને રાજકોટ શહેરમાં 1 ઓમિક્રોનનો કેસ આવ્યા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 56 લોકો સારવારમાં છે જ્યારે 17ને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત થયું નથી.

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 24 દર્દી નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 કેસ છે. જેમાં 8 પુરૂષ અને 5 મહિલાનો સમાવેષ થાય છે. 9ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે 4 ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી.